ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – બીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ

ભાગ 1 માટે અહીં ક્લિક કરો ………

 

(2)وَ   مَا   كَانَ   لِمُؤْمِنٍ   وَلَا   مُؤْمِنَةٍ   إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا   أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ   مِنْ   أَمْرِهِمْط   وَ   مَن   يَعْصِ   اللهَ   وَرَسُوْلَهٗ   فَقَدْ   ضَلَّ   ضَلَالًا   مُّبِيْنًا

“કોઈપણ મોઅમીન મર્દ કે મોઅમીન ઔરતને એ ઈખ્તીયાર નથી કે જ્યારે અલ્લાહ કે તેના રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે તેના અમ્રોમાં પોતાની કોઈ રાય રજુ કરે અને જે પણ અલ્લાહ અને તેના રસુલની નાફરમાની કરશે તો યકીનન તે ખુલ્લી ગુમરાહીમાં હશે.”

(સુરએ અહઝાબ 33:36)

આ આયત ઉપર ધ્યાન આપો:

أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ અગર કોઈ મોઅમીનના વ્યકિતગત મામલામાં પણ અલ્લાહ અને રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે બીજા કોઈના હુકમની કોઈ હૈસીય્યત નથી. તેને અલ્લાહ અને રસુલના મુકાબલામાં પોતાનો કોઈ મત કે અભિપ્રાય આપવાનો કોઈ ઈખ્તેયાર કે કોઈ હક છે જ નહિ.

إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا અહીં હુકમને બિનશરતી વર્ણવવામાં આવ્યો છે. અલ્લાહ અને તેના રસુલના ઈખ્તેયાર કંઈ અમૂક વસ્તુઓ પૂરતા મયર્દિીત નથી બલ્કે મોઅમીનની ઝીંદગીનો દરેક ભાગ તેમના ઈખ્તેયાર હેઠળ છે. ઝીંદગીની કોઈપણ બાબત પછી તે વ્યકિતગત હોય, સામુહિક હોય, આર્થિક હોય, સામાજીક હોય, દીની હોય કે દુન્યવી વિગેરે દરેક બાબતમાં અલ્લાહ અને તેના રસુલને હક અને ઈખ્તેયાર પ્રાપ્ત છે.

اَللهُ  وَ  رَسُوْلُهٗ અહીં અલ્લાહ પછી તરતજ રસુલ કહેવામાં આવ્યું છે. તે એ હકીકત તરફ ઈશારો કરે છે કે અમ્ર અને નહ્યના સિલસિલામાં ખુદાવંદે આલમે પોતે જ રસુલ (સ.અ.વ.)ને સ્વતંત્ર હૈસીય્યત, હક અને ઈખ્તેયાર આપ્યો છે. અલ્લાહે પોતાની જેમ રસુલ (સ.અ.વ.)ની પણ ઈતાઅતને વાજીબ અને જરી ઠેરવી છે. એટલે કે રસુલે ખુદા (સ.અ.વ.)નો હુકમ પોતે એક સ્વતંત્ર હૈસીય્યત ધરાવે છે. રસુલે ખુદા (સ.અ.વ.) અલ્લાહની તરજુમાની કરનાર પણ છે અને તેમની પોતાની પણ એક સ્વતંત્ર શાન છે. જેવી રીતે અલ્લાહના હુકમની મુખાલેફત હરામ છે તેવીજ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના હુકમની મુખાલેફત પણ હરામ છે.

એ વાત જગજાહેર છે કે આ પ્રકારની બિનશરતી ઈતાઅત ઈસ્મત વગર શકય નથી. જેવી રીતે અલ્લાહના ‘અમ્ર’ અને ‘નહ્ય’માં કોઈપણ પ્રકારની ભુલ, શક, ખતા કે ભુલી જવાનું શકય નથી તેવી જ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના એહકામમાં પણ કોઈપણ પ્રકારની ભુલ, શક, ખતા કે ભુલી જવાનો અવકાશ નથી.

(3)اَلنَّبِيُّ   أَوْلىٰ   بِالْمُؤْمِنِينَ   مِنْ   أَنفُسِهِمْ

“નબીએ અકરમ (સ.અ.વ.)ને મોઅમીનોના નફસો ઉપર ખુદ તેઓ કરતા વધારે ઈખ્તેયાર પ્રાપ્ત છે.”

(સુરએ અહઝાબ 33:6)

અગર કોઈ અલ્લાહ અને તેના રસુલ ઉપર ઈમાન ધરાવતો હોય તો તેના જાન, માલ અને તેનાથી સંબંધિત બધી વસ્તુઓ ઉપર રસુલ (સ.અ.વ.)ને વધારે ઈખ્તેયાર પ્રાપ્ત છે. મોઅમીન ઉપર વાજીબ છે કે પોતાના દરેક ગમા-અણગમા ઉપર રસુલ (સ.અ.વ.)ના ગમા-અણગમાને અગ્રીમતા આપે. આ આયતે કરીમામાં જે ‘ઉલુવીય્યત’ (ઈખ્તેયાર)નું વર્ણન કરવામાં આવ્યું છે તે કોઈ એક ખાસ વિષય માટે નથી, બલ્કે સ્વતંત્ર રીતે અને સંપૂર્ણ બિનશરતી છે.

(4)يَا   أَيُّهَا   الَّذِيْنَ   آمَنُوْا   أَطِيْعُوا   اللهَ   وَ  أَطِيْعُوا   الرَّسُوْلَ

“અય ઈમાન લાવનારાઓ! અલ્લાહની ઈતાઅત કરો તથા તેના રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત કરો.

(સુરએ નીસા 4:59)

આ આયતે કરીમામાં પણ અલ્લાહની ઈતાઅતની સાથે રસુલે ખુદા (સ.અ.વ.)ની સ્વતંત્ર ઈતાઅતનો ઝિક્ર થયો છે. સ્વતંત્ર ઝિક્ર એ હકીકત તરફ ઈશારો કરે છે કે અલ્લાહના હુકમોની પાબંદીની સાથે રસુલ (સ.અ.વ.)ના હુકમો પણ એક સ્વતંત્ર હૈસીય્યત ધરાવે છે. જો કે આ સ્વતંત્ર હૈસીય્યત અલ્લાહની અતા કરેલી છે અને અલ્લાહે તેમની ઈતાઅતને સ્વતંત્ર રીતે વાજીબ કરાર દીધી છે. એ વાત ધ્યાનમાં રહે કે રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત અલ્લાહના મુકાબલામાં નથી. બલ્કે અલ્લાહની ઈનાયતોથી અને તેના હુકમથી રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત વાજીબ છે. હવે અગર કોઈ તેમની સ્વતંત્ર ઈતાઅતનો ઈન્કાર કરે તો તે ખરેખર તે અલ્લાહના અતા કરેલા ઈખ્તેયાર અને હક્કોનો ઈન્કાર કરી રહ્યો છે.

મોઅમીનોને સંબોધન:

આપણે ઉપરોકત આયતો ઉપર ધ્યાન આપીએ કે દરેક જગ્યાએ સંબોધન મોઅમીનોથી છે. અલ્લાહ એ જાણે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત એજ કરશે, રસુલ (સ.અ.વ.)ના મુકાબલામાં પોતાનો કોઈ ઈખ્તેયાર નથી એજ એવું માનશે અને તેમને પોતાના જાન અને માલ ઉપર એજ અગ્રીમતા અને સત્ત્ાા આપશે કે જે મોઅમીન હશે. ઈમાનની શર્ત અને મોઅમીનની ઓળખાણ રસુલે ખુદા (સ.અ.વ.)ની બિનશરતી ઈતાઅત છે. હવે અગર કોઈ રસુલે ખુદા (સ.અ.વ.)ના હુકમનો ઈન્કાર કરે, તેમની નાફરમાની કરે અથવા ખુદાનાખ્વાસ્તા તેમના હુકમની સામે પોતાનો કોઈ અભિપ્રાય રજુ કરે તો કુરઆને કરીમ મુજબ તે ضَلَالٍ مُبِیْنٍ માં ગિરફતાર છે. એટલે કે ફકત ગુમરાહી જ નહી પરંતુ ખુલ્લી ગુમરાહીમાં.

જાનશીન કોણ?

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જવાબદારીઓમાં

  • એહકામની તબ્લીગ, આયતોની તિલાવત.
  • એહકામની સમજુતી, ઈલ્મ અને હિકમતની તઅલીમ.
  • વિલાયતે તશ્રીઈ.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રેહલત પછી જે સિલસિલો કપાઈ ગયો તે એહકામની તબ્લીગ અને આયતોની તિલાવતનો છે. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝીંદગીમાં દીન સંપૂર્ણ થઈ ગયો. આથી હવે આયતોની તિલાવત અથવા નવા દીન અને એહકામનો કોઈ સિલસિલો નથી. પરંતુ ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાની ઝીંદગી દરમ્યાન એહકામની તબ્લીગ અને કુરઆનની તિલાવતની જવાબદારી અદા કરી છે. તે સિવાય એહકામનું બયાન, કિતાબ અને હિકમતની તબ્લીગના સિલસિલો તો કયામતના દિવસ સુધી બાકી રેહનાર છે. જેની પાસે કિતાબ અને હિકમતનું ઈલ્મ હશે તેનીજ પાસે વિલાયતે તશ્રીઈ પણ હશે.

તો હવે સવાલ એ થાય કે પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન કોણ છે?

જવાબ બિલ્કુલ સ્પષ્ટ અને જાહેર છે. ફકત તેજ શખ્સ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો જાનશીન હોઈ શકે છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ ધરાવતો હોય, જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ કિતાબ અને હિકમતની તઅલીમ આપી શકતો હોય, જેનું ઈલ્મ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ અલ્લાહનું અતા કરેલું હોય, જેણે દુનિયામાં તઅલીમ હાસીલ ન કરી હોય બલ્કે જેને રસુલે ખુદા (સ.અ.વ.) એ અલ્લાહના હુકમથી કિતાબ અને હિકમતની તઅલીમ આપી હોય.

સુરએ બરાઅતની તબ્લીગ:

જ્યારે સુરએ બરાઅત (સુ. તૌબા)ની શઆતની આયતો નાઝીલ થઈ જેમાં મુશ્રીકોને સંબોધીત થઈને ખુદા અને રસુલની બેઝારીનું વર્ણન કરવામાં આવ્યું હતું અને મક્કએ મુકર્રમામાં હજ્જે અકબરના મૌકા ઉપર તે આયતોને મજમામાં સંભળાવવાની હતી. એટલે કે મુશ્રીકોના સમૂહમાં, તેઓનાં કેન્દ્રમાં તેઓથી બરાઅત (બેઝારી-દુરી)નું એઅલાન કરવાનું હતું.

એહલે સુન્નતના આલીમો અબ્દુલ્લાહ બીન ઉમરથી આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવ્યો છે.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અબુબક્ર અને ઉમરને મક્કા મોકલ્યા. પરંતુ જે કાગળમાં આયતો હતી તે કાગળ અબુબક્રને આપ્યો. તેઓ બન્ને તે કાગળ લઈને મક્કા તરફ રવાના થઈ ગયા. હજુ થોડા જ દૂર પહોંચ્યા હતા કે તેઓએ જોયું કે એક શખ્સ તેઓની તરફ આવી રહ્યો છે કે જે ઉંટ ઉપર સવાર છે. તેઓએ પુછયું તમે કોણ છો?

તે શખ્સે કહ્યું: હું અલી છું. અય અબુબક્ર તમે તે કાગળ મને આપી દો. અબુબક્ર એ પુછયું: શું કંઈ વાત થઈ છે? અલી (અ.સ.) એ જવાબ આપ્યો: તે વિષે મને કંઈ ખબર નથી. હઝરત અલી (અ.સ.) એ તે કાગળ તેઓ પાસેથી લીધો અને મક્કા તરફ રવાના થઈ ગયા. ઉમર અને અબુબક્ર મદીના પરત આવી ગયા અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઈને કહ્યું:

‘શું અમારા વિષે કોઈ ખાસ વાત નાઝીલ થઈ છે? કોઈ ખાસ બનાવ  બન્યો છે? પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: નહિ. પરંતુ

قِیْلَ   لِیْ   اَنَّہٗ      لَا   یُبَلِّغُ   عَنْكَ   اِلَّا   اَنْتَ   اَوْ   رَجُلٌ   مِّنْكَ

‘મને કહેવામાં આવ્યું કે તમારી તરફથી કોઈ તે આયતોને નથી પહોંચાડી શકતું સિવાય તમે પોતે અથવા તમારામાંથી કોઈ શખ્સ.’ (એટલે એવો માણસ કે જે તમારાથી મીન્નીય્યત (તમારામાં) નો દરજ્જા ધરાવતો હોય)’

(મુસ્તદરકે હાકીમ નેશાપુરી, ભાગ-3, પા. 51)

પરંતુ આજ પ્રસંગને એહલે સુન્નતના બીજા આલીમોએ હઝરત અલી (અ.સ.)ની ઝબાનથી બયાન કર્યો છે. જેમાં બિલ્કુલ સ્પષ્ટ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)થી કોઈએ કહ્યુ હતું.

જ્યારે અબુબક્ર અને ઉમરે તે સિલસિલામાં રસુલે ખુદા (સ.અ.વ.)ને પુછયું: શું અમારા વિષે કોઈ ખાસ વાત નાઝીલ થઈ છે? તો તે સમયે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: નહિં. પરંતુ જીબ્રઈલે અમીન મારી પાસે આવ્યા હતા અને ફરમાવ્યું:

لَنْ   يُؤَدِّيْ   عَنْكَ   اِلَّا   اَنْتَ   اَوْ   رَجُلٌ   مِنْكَ

‘તમારી તરફથી તે પયગામને કોઈ નથી પહોંચાડી શકતુ સિવાય તમે પોતે અથવા તમારામાંથી કોઈ શખ્સ.’

(મુસ્નદે અહમદ ભાગ-1 પા. 101, સોનને તીરમીઝી ભાગ-4 પા. 339 હ. 5086)

અલ ગદીરમાં અલ્લામા અમીની, ભાગ-6, પા. 338 થી 350 ઉપર આ બનાવને એહલે સુન્નતના 70 આલીમોથી નોંધ્યો છે. આ બનાવથી એ વાત સ્પષ્ટ થાય છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક જવાબદારી વહ્યની તબ્લીગમાં, આયતોની તિલાવતમાં અગર ખુદાએ કોઈને જાનશીન બનાવ્યા છે તો તે ફકત અલી (અ.સ.)ને બનાવ્યા છે અને બીજાઓથી તે આયતોને પરત લઈને ઘણી બધી હકીકતોને સ્પષ્ટ કરી દીધી છે. પરંતુ તેઓ માટે કે જેની પાસે હકીકત નિહાળનાં દીલ હોય.

તઅલીમ અને વહીની સમજુતી:

સુરએ રઅદની 43મી આયતમાં ખુદાવંદે આલમનો ઈરશાદ છે:

وَيَقُوْلُ   الَّذِيْنَ   كَفَرُوْا   لَسْتَ   مُرْسَلًا   ۚ   قُلْ   كَفىٰ   بِاللهِ   شَهِيْدًا   بَيْنِيْ   وَبَيْنَكُمْ   وَمَنْ   عِندَهٗ   عِلْمُ   الْكِتَابِ

“જેઓએ કુફ્ર કર્યું છે તેઓ કહે છે કે તમો રસુલ નથી. તેના જવાબમાં તમે કહી દો કે અમારી અને તમારી વચ્ચે (મારી રિસાલતની) ગવાહી માટે અલ્લાહ કાફી છે અને તે શખ્સ કે જેની પાસે ઈલ્મુલ કિતાબ છે.”

સુરએ હુદની 17મી આયતમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે તે ગવાહ અને સાક્ષી ખુદ રસુલ (સ.અ.વ.)ના ખાનદાનમાંથી છે. ઈરશાદ થાય છે:

اَفَمَنْ   كَانَ   عَلٰي   بَيِّنَۃٍ   مِّنْ   رَّبِّہٖ   وَيَتْلُوْہُ   شَاہِدٌ   مِّنْہُ

“જેની પાસે તેના રબ તરફથી કોઈ સ્પષ્ટ અને રોશન દલીલ છે અને જે પોતાની સાથે સાથે પોતાનાઓમાંથી જ ગવાહ રાખે છે.”

شَاہِدٌ مِّنْہُ ગવાહ તેમના ખાનદાનમાંથી હોય અથવા તેઓમાંથી હોય. અગાઉ વર્ણન થઈ ચુકયુ છે કે સુરએ બરાઅતની તબ્લીગ વિષે જનાબે જીબ્રઈલે અમીને જે પયગામ આપ્યો હતો કે આ આયતો તમે પોતે પહોંચાડો અથવા رَجُلٌ مِنْكَ તમારામાંથી એક હોય તે પહોંચાડે. ઈતિહાસ ગવાહ છે ‘ مِنْكَ’ ના મિસ્દાક હઝરત અલી (અ.સ.) છે. તેવી જ રીતે અહીં પણ  شَاہِدٌ مِّنْہُ થી અલી (અ.સ.) જ મુરાદ છે. કારણ કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ઈરશાદ ફરમાવ્યું છે:

اِنَّ   عَلِیًّا   مِنِّیْ   وَ   اَنَا   مِنْہُ

‘બેશક અલી (અ.સ.) મારાથી છે અને હું અલી (અ.સ.)થી છું.’

આ આધારે સુરએ રઅદની આયતમાં એ ગવાહનો ઝિક્ર થઈ રહ્યો છે કે જેની પાસે આખી કિતાબનું ઈલ્મ છે તે હઝરત અલી (અ.સ.) છે. આ જ સિલસિલાની બે રિવાયતો જુઓ.

1) અબુ સઈદે ખુદરીની રિવાયત છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી આયત وَ مَنْ عِنْدَہٗ عِلْمُ الْكِتَاب ના વિષે પુછયું કે આનાથી મુરાદ કોણ છે? તો તેઓએ ફરમાવ્યું:

ذٰلِكَ   اَخِیْ   عَلِیِّ   بْنِ   اَبِیْ   طَالِبٍؑ

‘તેનાથી મારા ભાઈ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મુરાદ છે.’

(શવાહેદુત્તન્ઝીલ હસ્કાની ભાગ-1 પા. 40 હ 422, યનાબીઉલ મવદ્દત ભાગ-1 પા. 307 પ્ર. 30 હ. 7)

2) એહલે સુન્નતના બુઝુર્ગ આલીમ, તફસીરકાર અને લેખક જનાબ જલાલુદ્દીન સીયુતિ એ પોતાની મશ્હુર તફસીર ‘દુર્રે મન્સુર ભાગ-3 પા. 324 માં સુ. હુદની 17મી આયત (شاہد منہ)ની નીચે આ રિવાયત નકલ કરી છે.

ઈબ્ને અબી હાતીમ ઈબ્ને મરદવય અને અબુ નોએમે ‘અલ મઅરેફહ’માં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી આ રિવાયત નકલ કરી છે કે હઝરતે ફરમાવ્યું:

‘કુરૈશના દરેક મર્દ વિષે કુરઆને કરીમની અમૂક આયતો નાઝીલ થઈ છે. તે સમયે એક શખ્સે આપને પુછયું કે તમારા બારામાં કઈ આયત નાઝીલ થઈ છે? તો ફરમાવ્યું: શું તમે સુરએ હુદ નથી પઢયો. اَفَمَنْ كَانَ عَلٰي بَيِّنَۃٍ مِّنْ رَّبِّہٖ وَيَتْلُوْہُ شَاہِدٌ مِّنْہُ આ આયતમાં عَلٰي بَيِّنَۃٍ مِّنْ رَّبِّہٖ ’ થી મુરાદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) છે અને شَاہِدٌ مِّنْہُ થી મુરાદ હું છું.’

આ રિવાયતોથી એ વાત વધારે સ્પષ્ટ થાય છે કે જેની પાસે આખી કિતાબનું ઈલ્મ છે. એટલે કે આખા કુરઆનનું ઈલ્મ, આખી કાએનાતનું ઈલ્મ, પહેલાનું અને છેલ્લાનું ઈલ્મ છે તે ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. આ ઉપરાંત રસુલે ખુદા (સ.અ.વ.)ની આ હદીસ કે જે ખુબજ ભરોસાપાત્ર અને મુતવાતીર હદીસોમાંથી છે.

اَ نَا   مَدِیْنَۃُ   الْعِلْمِ   وَ   عَلِیٌّ   بَابُہَا

‘હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ 40, પાના 201, હ. 4)

ભાગ 3 માટે અહીં ક્લિક કરો……..

ગો ટૂ ટોચ