હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ – બીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ

ભાગ 1 માટે અહીં ક્લિક કરો…….

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હઝરત અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા હઝરત દાઉદ (અ.સ.) ઉપર કયા કારણે છે?

હુર્રા હઝરત દાઉદ (અ.સ.) વિષે અલ્લાહ તઆલા ફરમાવે છે:

يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ

“અય દાઉદ! બેશક અમોએ તમને આ ઝમીન ઉપર અમારા જાનશીન બનાવ્યા છે, તેથી તમે લોકોની દરમ્યાન ન્યાયસર ચુકાદો આપતા રહો.

(સુરએ સાદ-38, આયત નં. 26)

હજ્જાજ: હઝરત દાઉદ (અ.સ.)નો શું ચુકાદો હતો?

હુર્રા ફેંસલો બે વ્યકિતના મતભેદના બારામાં હતો. જેમાંથી એક ગોવાળ અને બીજો ખેડુત હતો. ગોવાળના પશુઓ ખેડુતના ખેતરમાં દાખલ થઈ ગયા અને બધા જ પાકને નુકશાન કરીને ચાલ્યા ગયા. આથી તે લોકો હઝરત દાઉદ (અ.સ.) પાસે ગયા અને ખેડુતે પોતાની ફરિયાદ રજુ કરી.

હઝરત દાઉદ (અ.સ.) એ ફરમાવ્યું: ગોવાળ પોતાના બધાજ પશુઓને વેચી નાખે અને ખેડુતનું નુકશાન ચુકવી આપે.

હઝરત સુલૈમાન (અ.સ.) એ પોતાના પિતા હઝરત દાઉદ (અ.સ.)ને ફરમાવ્યું કે આ કરતા વધારે સાં એ છે કે ગોવાળ ખેડુતના (ફળ, ખેતીની ઉપજ) નું નુકશાન પશુઓના દૂધ અને મુલાયમ ચામડાથી ભરપાઈ કરે તો ખેડુતના નુકશાનની ભરપાઈ પણ થઈ જાય અને ગોવાળના પશુઓ પણ સલામત રહેશે (તેની પાસે જ રહે).

આ માટે જ અલ્લાહ (ત.વ.ત.)નો ઈરશાદ છે:

فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِيْنَ

“પછી અમોએ સુલૈમાનને સાચો ચુકાદો સમજાવી દીધો અને અમે ચુકાદાની શકિત તથા ઈલ્મ દરેકને અતા કર્યું હતું અને અમોએ પર્વતોને દાઉદ (અ.સ.)ને આધિન કરી દીધા હતા કે જે તેની સાથે સાથે અલ્લાહની તસ્બીહ કયર્િ કરે અને એવીજ રીતે પક્ષીઓને પણ; અને અમે આવા કાર્યો કરતા રહીએ છીએ.

(સુરએ અંબિયા-21, આયત નં. 79)

પરંતુ અલી (અ.સ.) પોતાની ફઝીલતનું બયાન આ રીતે કરે છે:

سَلُوْنِي قَبْلَ أَنْ تَفْقِدُوْنِيْ

‘મને પુછી લ્યો એ પહેલા કે તમે મને ગુમાવી બેસો.’ 3

જ્યારે ખૈબરના વિજય પછી અમીલ મોઅમેનીન અલી (અ.સ.) પોતાના આકા હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયા ત્યારે રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમના સહાબીઓને સંબોધીને ફરમાવ્યું:

‘અલી (અ.સ.) તમારામાં સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધારે આલીમ અને ફેંસલા કરવામાં સૌથી સારા છે.’ 4

હજ્જાજ: ખુબ સરસ હુર્રા હઝરત અલી (અ.સ.) એ હઝરત સુલૈમાન (અ.સ.) ઉપર શ્રેષ્ઠતા કેવી રીતે હાંસીલ કરી?

હુર્રા અલ્લાહ તબારક વ તઆલા એ હઝરત સુલૈમાન (અ.સ.)ની વાતચીતને પોતાની કિતાબ (કુરઆન)માં આ રીતે બયાન કરી છે:

قَالَ رَبِّ اغْفِرْ لِيْ وَهَبْ لِيْ مُلْكًا لَّا يَنبَغِيْ لِأَحَدٍ مِّنْ بَعْدِيْ

“(અને) તેણે કહ્યું કે અય મારા પરવરદિગાર! મને માફ કરી દે અને મને એવું રાજ્ય અતા કર, જે મારા પછી કોઈના માટે ન હોય.

(સુરએ સાદ-38, આયત નં. 35)

પરંતુ મારા મૌલા (અ.સ.) એ દુનિયાના બારામાં ફરમાવ્યું:

…فَقَدْ طَلَّقْتُكِ ثَلَاثاً

‘અય દુનિયા! મેં તને ત્રણ વાર તલાક આપી અને મને તારી જરત નથી.’

અને ખુદ ખુદા ફરમાવે છે:

تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِيْنَ لَا يُرِيْدُونَ عُلُوًّا فِيْ الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ

“આ આખેરતનું ઘર અમે તે લોકો માટે નિમર્ણિ કરીએ છીએ કે જેઓ પૃથ્વી ઉપર બલંદી અને ફસાદને ચાહતા નથી અને સારો અંત તો પરહેઝગારો માટેજ છે.

(સુરએ કસસ-28, આયત નં. 83)

હજ્જાજ: ખુબ સરસ હુર્રા

અંતમાં તારો અકીદો સમજાવ કે કઈ રીતે હઝરત અલી (અ.સ.) હઝરત ઈસા (અ.સ.) કરતા વધારે શ્રેષ્ઠ અને ઉચ્ચ છે?

હુર્રા અલ્લાહે પોતાની કિતાબમાં હઝરત ઈસા (અ.સ.) વિષે આ રીતે ફરમાવ્યું:

وَإِذْ قَالَ اللهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُوْنِيْ وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُوْنِ اللهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُوْنُ لِيْ أَنْ أَقُوْلَ مَا لَيْسَ لِيْ بِحَقٍّ ۚ إِنْ كُنْتُ قُلْتُه فَقَدْ عَلِمْتَه ۚ تَعْلَمُ مَا فِيْ نَفْسِيْ وَلَا أَعْلَمُ مَا فِيْ نَفْسِكَ ۚ إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوْبِ

“અને જ્યારે અલ્લાહે કહ્યું કે અય મરિયમના પુત્ર ઈસા (અ.સ.)! શું તમે લોકોને એમ કહી દીધું છે કે અલ્લાહને છોડીને મને તથા મારી માઁને ખુદા માની લો? તો ઈસા (અ.સ.) એ અરજ કરી કે તારી ઝાત બેનિયાઝ છે, હું તેવી વાત કેવી રીતે કહીશ કે જેનો મને કાંઈજ હક નથી; અને અગર મેં તેવું કહ્યું હતું તો મને તો ખબર જ છે કે તું મારા દિલની હાલત જાણે છે અને હું તારા ભેદોથી અજાણ છું. બેશક તું ગય્બનો જાણનાર છે.

(સુરએ માએદાહ-5, આયત નં. 116)

આ રીતે અલ્લાહે તે લોકોને સજા કરવામાં મોડું કર્યું કે જેઓએ હઝરત ઈસા (અ.સ.)ને ખુદા માન્યા હતા. પરંતુ નુસૈરીઓ (કે જેમણે હઝરત અલી (અ.સ.)ના ત્બાને ઉચ્ચ કરીને ઓલુહીય્યત સુધી પહોંચાડી દીધો હતો) તેઓને સજા આપવામાં થોડું પણ મોડું ન કર્યું અને તેઓને સજા આપી.

હજ્જાજ: હું તારા સરળ અને સુંદર બયાનથી ખુબજ પ્રભાવિત થયો છું. અગર તું તારા દાવામાં નિષ્ફળ સાબિત થાત તો યકીનન હું તાં ગળું કાપી નાખત.

આ પછી હજ્જાજે હુરર્નિે બાઈઝઝત આઝાદ કરી દીધી બલ્કે તેને સારા ઈનામો પણ આપ્યા. 5

———————————————————————————————————————————————————————————————————————

 1) મનાકીબે આલે અબી તાલિબ ભા. 1, પા. 317, અલ તઆફ, પા. 512, સેરાતલ મુસ્તકીમ ભા. 1, પા. 230, બેહાલ અન્વાર ભા. 4, પા. 45, હિલ્યતુલ અબરાર ભા. 2, પા. 62, શરહે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ, ભા. 10, પા. 142, ગાયતુલ મરામ ભા. 5, પા. 195, તફઝીલુલ નિશતય્ન પા. 46 અને 62, ઈલ્મુલ કેતાબ ખ્વાજા અમીર મોહમ્મદી હનફી પા. 266, મતાલેબુલ સોઉલ પા. 16, તબ્કાતુલ કુબરા, અબ્દુલ વહહાબ શાફેઈ ભા. 4, પા. 54, અલ મજાઝુલ જલીલ ફી બયાનુસ સવાલાત વ જવાબ મિન ગરાએબુત તન્ઝીલ ભા. 1, પા. 18, સવાએકુલ મોહર્રેકા પા. 77, નકલ અઝ શર્રહે એહકાકુલ હક્ક ભા. 7, પા. 605, યનાબીઉલ મોવદ્દત ભા. 1, પા. 203, ભા. 2, પા. 413, જવાહેલ મતાલીબ ભા. 2, પા. 50.

2) એહલે સુન્નતના પ્રખ્યાત તફસીરકાર સોઅલબી એ પોતાના રાવીઓના આધારે આ આયતના બારામાં કહ્યું છે કે: જ્યારે રસુલે અકરમ (સ.અ.વ.) એ હિજરતનો ઈરાદો કર્યો ત્યારે પોતાનું કર્ઝ અને અમાનતોને અદા કરવા માટે હઝરત અલી (અ.સ.)ની પસંદગી કરી. મુશ્રીકોએ આપ (સ.અ.વ.) ઉપર હુમલો કરવાના ઈરાદાથી આપના પવિત્ર ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું. હિજરત પહેલા આ સમયે આપ (સ.અ.વ.) એ ઈમામ અલી (અ.સ.)ને હુકમ આપ્યો કે તે આપ (સ.અ.વ.)ની પથારી પર સૂઈ જાય અને પોતાની જાતને લીલા ધાબળા વડે ઢાંકી દે (જે આપ સ.અ.વ.થી સંબંધિત હતોે). આ સમયે અલ્લાહ તઆલા એ જ. જીબ્રઈલ (અ.સ.) અને જ. મીકાઈલ (અ.સ.) ઉપર વહી નાઝીલ કરી અને કહ્યું કે હું તમને બંનેને એક-બીજાના ભાઈ બનાવું છું અને તમારા બંનેમાંથી એકને લાંબી ઉમ્ર આપવા માંગું છું તો તમારામાંથી કોણ છે જે પોતાની ઝિંદગીની કુરબાની આપવા તૈયાર છે? અને પોતાની ઝિંદગીને બીજાની ઝિંદગી ઉપર મહત્ત્ાા આપશે? તો બેમાંથી કોઈ એકપણ તૈયાર ન થયું. ત્યારે અલ્લાહ (ત.વ.ત.) એ તેમના ઉપર વહી કરી કે હવે અલી (અ.સ.) રસુલ (સ.અ.વ.)ની પથારી ઉપર સુઈ જશે અને એ પોતાની જાન રસુલ (સ.અ.વ.) ઉપર કુરબાન કરવા તૈયાર છે. તો હવે તમે લોકો જમીન ઉપર જાવ અને હઝરત અલી (અ.સ.)ના રક્ષક બની જાવ. જ્યારે જીબ્રઈલ (અ.સ.) અલી (અ.સ.)ના સરે મુબારક પાસે બેઠા હતા અને જ. મિકાઈલ (અ.સ.) અલી (અ.સ.)ના પગ પાસે બેઠા હતા ત્યારે જ. જીબ્રઈલ (અ.સ.) એ ફરમાવ્યું:

અય અબુ તાલિબના ફરઝંદ મુબારક થાય! અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સમક્ષ તમારી ઉપર ગર્વ અનુભવે છે. તે સમયે આ આયત (અને લોકોમાંથી (કોઈ) એવો (પણ) છે જે અલ્લાહની ખુશી મેળવવા માટે પોતાના નફસને વેચી નાખે છે અને અલ્લાહ સર્વે બંદાઓ પર ખૂબજ માયાળુ છે.) નાઝીલ થઈ. આ કારણે આ રાત્રી લયલતુલ મોબીતના નામથી મશ્હુર થઈ. તફસીરે સોઅલબી ભા.6, પા. 479. હકીકતમાં આ ‘લયલતુલ મોબીત’ (સુવાની રાત્રી)ની સંબંધિત હદીસને એહલે સુન્નતના અસંખ્ય આલીમોએ નકલ કરી છે, જેમાંના અમૂક આ મુજબ છે. કશફુલ બયાન અઝસોઅલબી, ભા. 1, પા. 409, તફસીરે ફખ્રે રાઝી, ભા. 3, પા. 222, તફસીરે નિશાપુરી, ભા. 2, પા. 8, તફસીરે એકામે ઝૈદી, ભા. 1, પા. 41, જામેઅુલ તાએફુલ તફસીર, ભા. 5, પા. 111, જવાહેરુલ મતાલીબ, ભા. 1, પા. 241, અસ્સલાતો ખૈમ મેનન નવ્મ, ભા. 5, પા. 13, શવાહેદુત તન્ઝીલ, ભા. 1, પા. 123, અસદુલ ગાબાહ ફી મઅરેફતે સહાબા, ભા. 4, પા. 25, યનાબીઉલ મોવદ્દત, ભા. 1, પા. 274, મજમઉઝ ઝવાએદ, ભા. 7, પા. 27, કોનુઝુલ હકાએક, પા. 31, ઝખાએલ ઉકબા, પા. 86, વિગેરે, વિગેરે.

3) અર રેયાઝુન નાઝેરહ અઝ મોહીબુત તબરી, ભા. 2, પા. 198, અત તબકાતુલ કુબરા અઝ ઈબ્ને સઅદ, ભા. 2, હાંસિયા, પા. 101, અલ એસાબહ અઝ ઈબ્ને હજરે અસ્કલાની ભા. 3, પા. 568, તેહઝીબુત તેહઝીબ અસ્કલાની ભા. 7, પા. 337-338, ફતહુલ બારી અઝ ઈબ્ને હજરે અસ્કલાની, ભા. 8, પા. 485, અલ ઈસ્તીઆબ અઝ ઈબ્ને અબ્દુલ બર, ભા. 3, પા. 1, 107-તારીખુલ ખોલફા અઝ જલાલુદ્દીન અસ સિયુતિ, પા. 124, અલ ઈત્ત્ોકાન અઝ જલાલુદ્દીન અસસિયુતિ, ભા. 2, પા. 319.

4) આ સંબંધની હદીસોને એહલે સુન્નતના જુદા જુદા સમૂહના આલીમોએ નોંધ કરી છે. જેમાં શવાહેદુત તન્ઝીલ ભા. 2, પા. 467, શેઆલ અલામુલ નબાલહ ભા. 14, પા. 206, ફૈઝુલ કદીર ભા. 5, પા. 668, તોહફુલ અહવાઝી ભા. 10, પા. 205, ફતહુલ બારી ભા. 10, પા. 487, શરહે નહજુલ બલાગાહ ભા. 1, પા. 18, ભા. 7, પા. 219, કશફુલ કહાફહ ભા. 1, પા. 162, તફસીરે કુરતોબા ભા. 15, પા. 162, અલ ઉસુલુલ અસ્લીય્હ પા. 112, અલ એહકામ ભા. 4, પા. 237, તારીખે દમીશ્ક ભા. 15, પા. 300, અલ જવાહીર ફી નસ્બે ઈમામે અલી અ.સ. વ આલેહ પા. 71, તારીખે ઈબ્ને ખલ્દુન ભા. 1, પા. 197, જવાહેલ મતાલીબ ભા. 1, પા. 76, અલ ગદીર ભા. 3, પા. 95 (અલ ઈસ્તીઆબ, ભા. 3, પા. 235 થી નકલ છે), મતાલેબુસ સોઉલ, પા. 23, તમીઝુત તીય્બ મેનલ ખબીસ, પા. 25… અને આ સઈદ બીન અબી ખુઝૈબ કે જે ઈ. સાદિક (અ.સ.)ના સહાબી હતા તેમનાથી નકલ છે કે ઈબ્ને અબી લૈલા અને હું મદીના પહોંચ્યા અને મસ્જીદે નબવી (સ.અ.વ.) પહોંચ્યા, જ્યાં ઈમામ સાદિક (અ.સ.) હાજર હતા. અમે ઈ. સાદિક (અ.સ.)ની પાસે ગયા ત્યારે તેમણે મારા અને મારા ઘરવાળાના બારામાં પુછયું. ત્યારબાદ તેમણે મારા સાથી ઈબ્ને અબી લૈલાના બારામાં પુછયું. મેં ઈમામ (અ.સ.)ને કહ્યું: આ ઈબ્ને અબી લૈલા મુસલમાનોના જજ છે. ઈમામ (અ.સ.) એ તેને પુછયું: શું તમે કોઈની મિલ્કત લઈને બીજાને આપી છે અથવા પતિ-પત્નિ વચ્ચે તલાક પઢી છે. આ કાર્ય કરવા માટે તમે કોઈનો ડર મહેસુસ કર્યો છે? તેણે કહ્યું: હા, ઈમામ (અ.સ.) એ પુછયું, તમે કઈ ચીજ વડે ફેંસલો કરો છો? તેમણે કહ્યું: તે હદીસો વડે જે મારા સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.), અબુ બક્ર અને ઉમરથી પહોંચી છે. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘શું તારા સુધી રસુલે અકરમ (સ.અ.વ.)ની એ હદીસ નથી પહોંચી કે ફેંસલા કરવામાં અલી (અ.સ.) તમારામાં સૌથી શ્રેષ્ઠ છે.’ તેણે કહ્યું, હા! પછી ઈમામ (અ.સ.) એ તેને સવાલ કર્યો કે શા માટે તું તારા ફેંસલાઓ અલી (અ.સ.)ના ફેંસલાઓ મુજબ નથી કરતો. જ્યારે કે તમારા સુધી આ હદીસ પહોંચી ગઈ છે? રાવી કહે છે કે આ સાંભળતા જ ઈબ્ને અબી લૈલાનો ચહેરો ઉતરી ગયો અને તેણે મને કહ્યું: તું તારા માટે બીજો દોસ્ત શોધી લે હું તારી સાથે કોઈ દિવસ વાત નહીં કં. (કાફી ભા. 7, પા. 408) તેહઝીબુલ એહકામ ભા. 6, પા. 221, વસાએલુશ્શીઆ ભા. 18, પા. 8, અલ એહતેજાજ ભા. 2, પા. 102, બેહાલ અન્વાર ભા. 47, પા. 334.

5) અલ ફઝાએલ પા. 136, બેહાલ અન્વાર ભા. 46, પા. 134, ઈમામ અલી અ.સ. અઝ અર રહેમાની પા. 326, અલ મુનાઝેરાત ફીલ ઈમામીયહ, ભા. 125, મુસ્તદરકે ઈલ્મુલ રેજાલ ફીલ અહાદીસે અઝ અલી શહદી અન નમાઝી અ.ર. ભા. 8, પા. 565, કામુસુર રેજાલ અઝ તુસ્તરી ભા. 12, પા. 227, અલ મોઅય્યન બયઝહ પા. 218, બેહરીલ મનાકીબ અઝ ઈબ્ને હુસનાવી (શરહે એહકાકુલ હક ભા. 5, પા. 47 થી નકલ કરેલ છે).

ગો ટૂ ટોચ