શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ

લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ

નવા ટેકનોલોજીના યુગમાં આખી દુનિયામાં હકારાત્મક (સારા) સંકેતોની સાથે નકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. નવી ટેકનોલોજીની આડઅસરમાંથી એક એ છે કે નવી યુવાપેઢીનું પોતાના આદાબ અને સામાજીક વાતાવરણથી અલગ થઈ જવું અને પોતાની ઓળખાણને ખોઈ બેસવી પણ છે.

હકીકતમાં આ યુવાપેઢી પોતાની જ ઓળખાણથી અપરિચિત થઇ ગઈ છે. જેવી રીતે આપણા મહાન આલિમોમાંથી થોડા આલિમો સિવાય બીજા કોઈ ઓલમાની ઓળખાણ કે તેનાથી પરિચિત નથી અને અગર કોઈનાથી પરીચીત પણ છે તો તે ફક્ત થોડો ઘણો પરિચય હોય છે. એટલે કે તેમની કિતાબના હવાલાથી અથવા કોઈ જગ્યાએ તેમનો ઝીક્ર સાંભળી લે છે તો તેની ઉપરછલ્લી જાણકારી મળી જાય છે. બીજી નકારાત્મક અસર અને પરિણામ એ છે કે ઇલ્મને ફક્ત આર્થિક બાબતો પુરતુ માર્યાદિતકરી દીધું છે. જેના લીધે આજના ઝમાનામાં આલિમો અને બુધ્ધિશાળીઓ માટે આ વાત આશ્ર્ચર્યજનક અને પરેશાનીરુપ છે કે એક આલીમે દીન અડધી રાતે મુશ્કિલ હાલાતોમાં પોતાની અકલ, ફિક્ર અને ઇલ્મના પરિણામને ખુબજ કાળજી અને ખંત દ્વારા તેને કાગળ પર લખે છે. તે પણ એ ખ્યાલ વગર કે જાહેરમાં તેનો પ્રોત્સાહન મળે કે તેનો ફેલાવો થશે કે નહિ, ન ફકત એ કે તેમને કોઈ ઉમ્મીદ કે ઈંતેઝાર નથી હોતો કે તેની આ મેહનત અને લખાણોથી કોઈ દુન્યવી ફાયદો મળશે પરંતુ તેનાથી વધીને પોતે તેના તમામ ખચર્ઓિને પહોંચી વળવા માટે પણ તૈયાર રહે છે.

જ્યારે કે નવી યુવાપેઢીને આવો કોઈ મકસદ કે વિચાર નથી કે એક આલીમ ઘણા બધા વર્ષોની ખાલિસ મેહનતના પછી ઈમામતના મહાન હોદ્દાને જીવંત રાખવા માટે પોતાની જાનને હથેળીમાં રાખી પોતાના પુરા વજુદની સાથે કહે છે કે એક દિવસ અગર આપની વિલાયત મારા માટે જાનની બલા બની જાયતો યા અલી (અ.સ) હું આ બલાને આપની વિલાયતના બદલમાં ખરીદી લઈશ.

કાઝી નુરુલ્લાહ મરઅશી શુસ્તરી ઇલ્મ, જેહાદ અને શહાદત આપનાર મર્દોમાં તેમનો શુમાર થાય છે. એક જવામર્દ કે જેમણે મેદાદે ઓલમાંઅ (ઓલમાંની કલમ)ને દીમાંએ શોહદાઅ (શહીદોના લોહી)થી મેળવી દીધી અને બલ અહયાઅ (હંમેશા જીવંત)નો ગૌરવભર્યો મરતબો મેળવ્યો.

કાઝી નુરુલ્લાહ શુસ્તરી ખાલિસ મુદર્રીસ, મહાન ફકીહ અને કાઝી (ન્યાયધીશ) હતા. અડધી રાતના સમયને દુનિયા અને તેની લઝ્ઝતોથી દુર થઈને કબુલ થવાવાળી ઇબાદતોમાં ગુઝારતા હતા.

આપે લખેલી કિતાબો જેવી કે એહકાકુલ હક્ક, મજાલીસુલ મોઅમેનીન, મસાએબુન્નવાસીબ અને સવારેમુલ મોહર્રેકા વગેરે આજ પણ ઉપલબ્ધ છે. જ્યારે કે આપનાથી કોઈએ આની પ્રકાશન કરવાની કે ફેલાવવાનો વાયદો કર્યો ન હતો પરંતુ ઈતિહાસ ગવાહ છે કે આપની ખુલુસતાની બરકતો અને આપ ઉપર મૌલાની બરકતોને લીધે આપના ઈલ્મની અસરોની ખ્યાતી બાકી છે અને આપણને ખુલુસતાનો બોધ આપે છે અને તમામ લોકોને પૈગામે ઇલાહીની યાદદહાની કરાવે છે.

وَمَن يَتَّقِ اللهَ يَجْعَل لَّهُ مَخْرَجًا

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ

“જે શખ્સ અલ્લાહથી ડરશે તેના માટે અલ્લાહ છુટકારાનો માર્ગ કરી દેશે અને તેને એવા સ્થળેથી રોઝી પહોંચાડશે કે જ્યાંથી તેને ગુમાન પણ નહિ હોય.

(સુરએ તલાક, આયત 2 અને 3)

કાઝી નુરુલ્લાહ શુસ્તરીએ અડધી રાત્રીઓ સુધી જાગીને અઈમ્માહ (અ.મુ.સ)નાં નુરના પરચમને લહેરાવ્યો હતો કે જેથી પોતાની ફરજ (અલ્લાહની મદદ)ને અદા કરે અને ખુદાએ હકીમે પણ પોતાના મદદના વાયદાને પુરો કર્યો.

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا إِنْ تَنْصُرُوْا اللهَ

يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ

“અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહ (ના દીન)ની મદદ કરશો તો તે પણ તમારી મદદ કરશે, અને તમારા પગ જમાવી દેશે.

(સુરએ મોહમ્મદ, આયત 7)

અમોએ ઉપરોક્ત વાત જે નવી યુવાપેઢીનાં આદાબ, રીતભાત, સામાજીક વાતાવરણથી અજાણ હોવા વિષે કરી છે તે એ નવી યુવાપેઢી છે કે જે કાઝી નુરુલ્લાહ શુસ્તરી જેવા મહાન આલીમથી અજાણ છે. આપણા હિન્દુસ્તાનમાં આટલા મહાન શહીદની મઝાર (કબ્રે મુબારક) આગ્રામાં છે પરંતુ આપણી નવી પેઢીનું ધ્યાન તેના તરફ નથી. અગર કોઈ થોડા લોકો આ શહીદ આલીમ વિષે જાણે પણ છે તો ફક્ત એટલુજ કે તેમની કબ્રે મુબારક આગ્રામાં છે અને વાર્ષિક મજ્લીસનો પ્રોગ્રામ થાય છે. ત્યાં મુરાદો પૂરી થાય છે. એટલા માટે અમુક લોકો તેમની ઝીયારતે જાય છે.

પરંતુ સંપુર્ણ રીતે નવી યુવાપેઢીને તેના કસુરવાર હોવાનું નહી કહી શકાય પરંતુ થોડી ભૂલ એ આલીમેદીનની પણ છે કે જેઓએ આ મહાન શહીદની ઓળખાણ કરાવવામાં પોતાની ઈલ્મી જવાબદારીઓને બરાબર અંજામ આપી નથી.

જેમકે કાઝી નુરુલ્લાહની ખીદમતો જે બેશુમાર છે. પરંતુ ફક્ત થોડી જ કિતાબોની ઓળખાણ કરાવે છે કે જેને આપણે આંગળીઓના વેઢે ગણી શકીએ કે જે પણ અરબી ભાષામાં અને આ ભાષાની જાણકારી ન હોવાના કારણે આપણી નવી પેઢી કાઝી નુરુલ્લાહ શુસ્તરી (અ.ર.)ની અમુલ્ય ખિદમતોથી અજાણ રહે છે.

શહીદે સાલીસ (અ.ર.)નું ખાનદાન:

આ વિષયની વિગતો માટે અમે આ લખાણ ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહમાંથી લખ્યું છે. આ આર્ટીકલ લગભગ 68 વર્ષ પહેલા હિ.સ. 1327 માં મોહક્કીકે ફકીહ મર્હુમ સૈયદ જલાલુદ્દીન મોહદ્દીસે અમ્રવી કુદ્સ સરહનાં હાથે લખાયેલ છે, જે શહીદે સાલીસની કિતાબ અસ્સવારેમુલ મોહર્રેકા ફી નકદે સવાએકુલ મોહર્રેકા નામની કિતાબની પ્રસ્તાવનામાં લખાયેલું છે. આ કિતાબ અરબી ભાષામાં હતી. આથી લોકો આ કીતાબથી ફાયદો મેળવવાથી વંચિત હતા. તેથી લગભગ છ વર્ષ પહેલા સન 1386 શમ્સીમાં (ઈરાની વર્ષ 21 માર્ચથી શરુ થાય છે. ઈરાની વર્ષનો પહેલો મહિનો ફરવરદીન કેહવાય છે. આજ સન 1394 શમ્સી ઈરાની વર્ષ છે એટલે કે 21 માર્ચ 2015થી ઈરાની વર્ષ સન 1394 શમ્સી શરુ થયું છે).

ફાઝીલ મોહક્કીક જનાબ ડોક્ટર આકાએ અબ્દુલ હસન તાલઈ (ખુદા તેમની તૌફીકાતમાં વધારો કરે) તેમણે આ કિતાબ ફારસી ભાષામાં તરજુમો કરવાનો ઈરાદો કર્યો પરંતુ તેમનું સંશોધન અને મહેનત મર્હુમ મોહદ્દીસે અરમુવીના ઈલ્મી માર્ગદર્શન હેઠળ હતી. તે કહે છે કે ડોક્ટર અબ્દુલહમીદ તાલઈની મુલાકાત સન 1991માં પેહલી વાર થઇ. તેમની ઈલ્મી કાબેલીયત અને ખાસ કરીને કિતાબોની ઓળખમાં તેમનું પ્રભુત્વ જોઇને હું ઘણો જ પ્રભાવિત થયો. તેમણે મને ઘણી બધી ફારસી અને અરબી કિતાબોની ઓળખ આપી કે જેમાં ઘણી બધી હદીસો અને રિવાયતોની કિતાબ પણ હતી અને અમુક કિતાબો તેમણે મને ભેટ તરીકે આપી. તેમની કિતાબો અને સંશોધનોનો ઘણો મોટો સિલસિલો છે. અહી તે બધા વિષયો અને કિતાબોનું વર્ણન શક્ય નથી. તેમજ આપ નીચે  મુજબની ઈલ્મી કમિટીઓના સભ્યો પણ છે.

(1) હીયતે ઈલ્મી ગિરોહ કીતાબદારી વ ઇત્તેલ્લાઅ રસાની દાનીશગાહ-કુમ

(2) કમીતે તવલીદે કીતાબ દર પઝોશ્કદહ તાઅલીમ વ તરબીયત

(3) અઝવ્હીયતે મવસીસ વ રઈશ હિયત મદીયરહ અંજુમને કીતાબદારી વ ઇત્તેલાઅ રસાની મશાહખહ ઇસ્નાન કુમ

તારણ એ કે અમે અહી ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહનાં ફારસી તરજુમામાંથી કાઝી નુરુલ્લાહ શુસ્તરીનું જીવન ચરિત્ર લખી રહ્યા છીએ.

વંશ:

મોહદ્દીસે અરમુવીએ અલ્લામાં અમીની (અ.ર.)ની કિતાબ શોહદાઉલ ફઝીલહનાં હવાલાથી લખ્યું છે કે અલ્લામાં અમીની (અ.ર.) ફરમાવે છે કે કાઝીનું વંશ આ રીતે છે.

સૈયદ ઝીયાઉદ્દીન કાઝી નુરુલ્લાહ બિન સૈયદ શરીફ બિન નુરુલ્લાહ બિન મોહમ્મદ શાહ બિન મુબરઝદિન મન્ઝત બિન હુસૈન બિન નજમુદ્દીન મોહમ્મદ બિન એહમદ બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી મુફાખર બિન અલી બિન એહમદ બિન અબી તાલિબ બિન ઈબ્રાહીમ બિન યહ્યા બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી અલી બિન હમ્ઝાહ બિન અલી બિન હમ્ઝાહ બિન અલી અલ મરઅરા બિન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ (સીયાકનો લકબ ધરાવનાર) બિન અલ્ હસન બિન હુસૈનીલ અસગર બિન અલ્ ઈમામ અલી ઝયનુલ આબેદીન બિન અલ્ ઈમામ હુસૈન બિન અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.).

ભાગ 2 માટે અહીં ક્લિક કરો……

ગો ટૂ ટોચ