કિતાબ ‘અલ વસીય્યહ’ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

પ્રથમ ભાગથી ચાલુ રાખ્યું …….

3) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તમામ લોકો પાસેથી એક એક કરીને એહલેબૈત (અ.મુ.સ.) માટે બયઅત લીધી અને તેજ દિવસથી ખાનદાને નૂરની વિરૂધ્ધ લોકોના દિલોમાંથી કીનો અને દુશ્મની જાહેર થવા લાગી.

4) હઝરત હમ્ઝા (અ.સ.)ની શહાદતની રાત્રીએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ આપના માટે ઈસ્લામના એહકામ અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું. જેમાં તૌહીદ, નુબુવ્વત અને મઆદ સંબંધે 9 મુદ્દાઓ હતા અને 10 મુદ્દાઓ ઈમામત અને વિલાયત સંબંધિત હતા. હઝરત હમ્ઝા (અ.સ.) એ પણ ઘણી વાર ઈમાન અને આ બાબતો સાચી હોવાનું એઅલાન કર્યું.

5) આ હદીસમાં રસુલે અકરમ (સ.અ.વ.) એ પોતાના ભરોસાપાત્ર અને આદીલ સહાબીઓ જનાબે સલમાન (અ.ર.), જનાબે અબુઝર (અ.ર.) અને જનાબે મિકદાદ (અ.ર.) માટે ઈસ્લામી શરીઅત અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું જેમાં 8 મુદ્દાઓ તવહીદ, નબુવ્વત અને કુરઆને કરીમ તેમજ કઝા અને કદર સંબંધિત હતા. 18 મુદ્દાઓ ઈમામતના વિષય ઉપર હતા. 23 મુદ્દાઓ અખ્લાક અને એહકામ સંબંધિત હતા. 5 મુદ્દાઓ એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની મોહબ્બત સંબંધિત હતા. 6 મુદ્દાઓ કુરઆને કરીમનો સંબંધ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે સંબંધિત અને 7 મુદ્દાઓ મઆદના વિષય ઉપર આધારિત હતા.

આ હદીસની શરૂઆતમાં હઝરત મુરસલે આઅઝમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ઈસ્લામની શરતો અને શરાએઅ અસંખ્ય છે. પછી આપ (સ.અ.વ.) એ ઉપરોકત 67 મુદ્દાઓને ખુબજ ટૂંકમાં પરંતુ સાર્વત્રિક રૂપે વર્ણવ્યા.

આ કિતાબ (કિતાબુલ વસીય્યહ) જેના પાના ઓછા છે પરંતુ અર્થસભર (વસ્તુ વિચારોથી ભરેલી) છે. તેમાં ઝબાને વહી થકી આપણા સુધી તે રિવાયતો પહોંચી છે કે જેમાં નબુવ્વતના શરૂઆતના દિવસો અને આપ (સ.અ.વ.)ની દુન્યવી ઝીંદગીના અંતિમ દિવસોની જાણકારી આપવામાં આવી છે કે જેને બની ઉમય્યા અને બની અબ્બાસના ઝાલીમો અને અત્યાચારી રાજાઓએ મીટાવી દેવાની બનતી કોશિશો કરી હતી.

આ ‘ઉસુલ’ તે 400 ઉસુલોમાંથી છે કે જેના વિષયોમાં સુવ્યવસ્થા અને સુસંગતતા જોવા મળે છે. ઉસુલે દીનમાં સૌથી મહત્ત્વનો ઉસુલ એટલે કે ઈમામત અને વિલાયતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અત્યંત ભાર મુકવામાં આવ્યો છે. તેથી અલગ અલગ પાસાઓના આધારે આ ઉસુલને 400 ઉસુલોમાં એક આગવું સ્થાન અને ભરોસો પ્રાપ્ત છે. આ બહુમુલ્ય ઉસુલ અને જેની કદર ન કરવામાં આવી તેવી રિવાયતો આપણા સુધી એક એવી વ્યક્તિ દ્વારા પહોંચી છે જેમનું માનનીય નામ ઈસા બિન મુસ્તફાદ હતું કે જેમના વિષે એક સ્થાન ઉપર ખુદ ઈમામે કાઝીમ (અ.સ.) ફરમાવે છે:

‘તમારી તમામ કોશિશોનો આધાર ઈલ્મ છે. ખુદાની કસમ! તમારો સવાલ ફકત અને ફકત ઉંડુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હોય છે.’

(પ્રથમ હદીસ)

એક બીજી જગ્યાએ ઈમામે કાઝીમ (અ.સ.) એ ફરમાવ્યું:

‘અય ઈસા! તમે તમામ બાબતોમાં ઉંડો અભ્યાસ કરો છો અને જ્યાં સુધી તેને પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી ચૈન નથી લેતા.’

ઈસા એ અરજ કરી: મારા માઁ-બાપ આપના ઉપર કુરબાન થાય! હું ફકત તેજ બાબતો વિષે સવાલ કરૂં છું જે મારા દીનના માટે ફાયદાકારક હોય અને દીન સમજવા માટે સવાલ કરૂ છુ જેથી કરીને પોતાની જેહાલતના કારણે ગુમરાહ ન થઈ જાવ. પરંતુ તમારા સિવાય બીજુ કોણ છે કે જે મને આ બધી બાબતોથી માહિતગાર કરે?

(હદીસ 32)

અલબત્ત એ વાત ધ્યાનમાં રહે કે ઈસાએ આમાંથી ઘણી હદીસો પોતાના પિતા અલ મુસ્તફાદ પાસેથી સાંભળી છે કે જેઓ ઈમામ સાદિક (અ.સ.)ના વિદ્યાર્થીઓમાંથી હતા. શકય છે કે ઈસા (અ.ર.) એ ઈત્મીનાન કરવા માટે અથવા વધારે સમજણ માટે અથવા વધારે સ્પષ્ટતા માટે આ પવિત્ર રિવાયતોને પોતાના ઝમાના ઈમામ એટલે કે ઈમામે કાઝીમ (અ.સ.)ની ખિદમતમાં રજુ કરી હશે અને આપ (અ.સ.) પાસેથી તેનું સમર્થન ચાહ્યું હશે.

તેથી અલ્લામા બયાઝી આમેલી (અ.ર.) પોતાની કિતાબ ‘અસ સેરાત અલ મુસ્તકીમ’માં કિતાબ ‘અલ વસીય્યત’ની રિવાયતનો સાર રજુ કર્યા બાદ લખે છે કે:

سٲضع مھصلہا فی ہذا الباب لیھتدی بہ اولو الالباب و ﻷ تیمن بذکرہا و اتقرب الی اللہ تعالی بنشر ہافان فیہا شفاء لمافی الصدور یعتمد علیہا من یرید تھقیق تلک الامور

‘હું આ પ્રકરણમાં રિવાયતોનો સાર રજુ કરૂં છું જેથી અકલમંદ લોકો તેનાથી હિદાયત પ્રાપ્ત કરી શકે. હું આ હદીસોના વર્ણન થકી બરકત પ્રાપ્ત કરૂં. તેને ફેલાવવા થકી અલ્લાહ તઆલાની બારગાહમાં નઝદીકી પ્રાપ્ત કરૂં છું. કારણ કે આ હદીસોમાં દિલોમાં જે કંઈપણ દર્દ હોય તેની શિફા છે અને જે કોઈ તે બાબતોમાં સંશોધન ઈચ્છતો હોય તેને જોઈએ કે તેમના ઉપર ભરોસો કરે.’

(અસ સેરાત અલ મુસ્તકીમ, ભા. 2, પા. 40)

શૈખ બયાઝી કે જે 9 મી સદી હિજરીના અગ્રણી મુતકલ્લીમ હતા, તેમની આ ગવાહી સંશોધકો માટે પૂરતી છે કે જેથી તેઓ એ વાતને સમજી લે કે કેટલું અમુલ્ય મોતી અને કેવી મહાન દૌલત તેમના હાથોમાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા પ્રાચીન મોહદ્દીસોના અથાગ પ્રયત્નો થકી આ બહુમુલ્ય દૌલત આટલી સરળતાથી આપણા સુધી પહોંચી છે. અમે અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરીએ છીએ કે તેમની પવિત્ર રૂહો તેમના મૌલાના દસ્તરખાન ઉપર તેમના ઈલ્મોથી માલામાલ થાય.

નોટ: આ ટૂંકી પરંતુ મહત્ત્વની કિતાબ હજુ સુધી ફકત અરબી ભાષામાં પ્રાપ્ય છે. અમે આલીમો અને લેખકોને વિનંતી કરીએ છીએ કે તેનો તરજુમો ઉર્દુ ભાષામાં કરે. જેથી ઉર્દુ અને હિન્દી વાંચકો તેનાથી ફાયદો મેળવી શકે અને માલદાર લોકોથી વિનંતી કરીએ છીએ કે તે આ રસ્તામાં ખુલ્લા દિલથી ખર્ચ કરે જેથી કરીને આ કિતાબો અને આ રિવાયતો તેમના માટે આખેરતનું ભાથુ અને બાકેયાતુસ્સાલેહાત બની જાય.

પરવરદિગાર! અમારા ઝમાનાના ઈમામ (અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કર. જેથી અમે તેમની પવિત્ર ઝબાનથી તે પવિત્ર રિવાયતોને સાંભળી શકીએ અને તેમના ઈલ્મ અને મઆરીફથી ફાયદો મેળવી શકીએ. આમીન યા રબ્બલ આલમીન.

ગો ટૂ ટોચ