શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – ત્રીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ

ભાગ 2 માટે અહીં ક્લિક કરો …..

હસદખોરો હંમેશા કોશિશમાં રહેતા કે કોઈ પણ રીતે કાઝી નુરુલ્લાહનું શિઆ હોવું સાબિત થઇ જાય. આથી એ લોકો અલગ અલગ પ્રકારના પ્રશ્નો કરતા. ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો મૌજુદ છે.

(1) મુફ્તિઓએ એક દિવસ સાંભળ્યું કે કાઝીએ અલી (અ.સ.) માટે અસ્સલાતો વસલ્લમ શબ્દ વાપર્યો છે આથી તે લોકોએ તેને બિદઅત કહ્યું અને કહ્યું કે આ વાક્ય (અસ્સલાતો વસલ્લમ) રસુલે ખુદા (સ.અ.વ.) માટે જ ખાસ છે અને આ રીતે આપના ખૂનને હલાલ હોવાનો ફતવો જાહેર કર્યો. બધાએ આ ફતવા પર સહી કરી દીધી અને અકબરની પાસે મોકલ્યો. બધાએ સહીઓ કરી હતી પરંતુ એક મુફ્તીએ સહી કરી ન હતી અને આ ફતવાનો વિરોધ કર્યો અને એક શેઅર લખીને અકબરની પાસે મોકલ્યો.

અગર લહમોક લહમી આ હદીસે નબવી છે તો પછી સલ્લે અલા વિના નામે અલી બે    અદબી છે.

(એહકાકુલ હકક આયતુલ્લાહ શાહબુદ્દીન નજફીની ઓળખાણ અને પ્રસ્તાવના શહીદ કાઝીનું જીવન માંથી ભાગ-1 પેજ: 159)

અકબર પર આ શેઅરની એવી અસર થઇ કે તે કાઝીના કત્લથી ફક્ત દુર જ ન રહ્યો, બલ્કે તેના દિલમાં કાઝી પ્રત્યે મોહબ્બત વધી ગઈ.

અકબરના દરબારમાં અસંખ્ય ઈલ્મી વાકેઆતો પેશ આવ્યા અને આ વાકેઆતોના મરકઝ કાઝી નુરુલ્લાહ હતા. અઈમ્માહ (અ.મુ.સ)ની મદદથી આપે શિઆ અકાએદને ખુબ મશ્હુર કર્યા

આપની હોશિયારી અને સમજણનો એક વધુ વાકેઓ જોઈએ:

(2) ચલબી તબ્રઝી જે ખાક્યા કબીલામાંથી હતા અને હિન્દુસ્તાનમાં ફઝલના નામે ઓળખાતા હતા અને તેમનો લકબ અલામી હતો તેને તનાહી અબઆદ (તનાહી અબઆદ: ફિલોસોફી ચચર્ઓિમાંથી એક છે ફિલોસોફીના પ્રમાણેની આ ચર્ચાછે, તેની હકીકત કાંઈ નથી. કાઝી સાહેબે આ બહસને રદ્દ કરી છે) આ બહસ વિષે દલીલ કાએમ કરી હતી. તેમના અમુક વિદ્યાર્થીઓ આ ચચર્નિો જવાબ મેળવવા આ લખાણને કાઝી નુરુલ્લાહ પાસે લાવ્યા. કાઝી નુરુલ્લાહે આ લખાણ વાંચ્યું અને તેની ઉપર લખ્યું اجلاف અમુક બેવકૂફ ખાલી દિમાગ (કમ અકલ) કહેવાય છે. જ્યારે આ લખાણ તબ્રઝીની પાસે પહોચ્યું તો તે જવાબ ન આપી શક્યા અને પરેશાનીની હાલતમાં બાદશાહની પાસે આવ્યા અને કહ્યું મીર નુરુલ્લાહે મને અજ્લાફ (મુર્ખ) કહ્યો છે અને જ્યારે જનાબ મીર અકબરના દરબારમાં આવ્યા તો તેમને કહ્યું લોકોની ઝબાન ઉપર એવું છે કે તમને શું થયું કે તમે ચલબી તબ્રીને અજ્લાફ લખી નાખ્યા છે.

કાઝી નુરુલ્લાહ સાહેબે જવાબ આપ્યો કે મેં તેમને ઇખ્લાફ اخلاف (જાનશીન / પછી આવનાર) લખ્યું છે, પણ તેમણે ખે ને બદલે જીમ પડ્યો છે.

આવી ચર્ચાઓ અને ઈલ્મી વાદવિવાદ ઇતિહાસમાં મૌજુદ છે.

કાઝી નુરુલ્લાહ સાહેબના પ્રકાશનો (કિતાબો):

સફ્વી હુકુમતના સમયમાં આપનો શુમાર મહાન આલીમોમાં થતો હતો. આપ શૈખ બહાઈ (ર.અ.)ના સમકાલીન હતા કે જેમનો શુમાર બહુજ બુદ્ધિશાળી લોકોમાં થતો હતો.

આપની કિતાબોની સંખ્યા લગભગ 140 કિતાબ, સામયિકો અને નોંધ (ફુટનોટ)ના સ્વરુપે મૌજુદ છે અથવા બીજા આલીમોની કિતાબોમાં મૌજુદ છે.

આપ શાયરીનો શોખ પણ ધરાવતા હતા અને નઝમ અને તેના દરેક પ્રકારોનાં બારામાં નિપુણતા ધરાવતા હતા. આપના અશઆરના કલામ પણ મૌજુદ છે આપનું ઉપનામ નુરી હતું. આપ અરબી અને ફારસી બંને ભાષાઓમાં શેર કહેતા. આપની મશહુર કિતાબોમાંથી આ ચાર કિતાબ બહુજ મશહુર છે (1) એહકાકુલ હકક (2) મજાલીસુલ મોઅમેનીન (3) અલ સવારેમુલ મોહર્રેકા (4) મસાએબુન્ નવાસીબ

અલ્લામાં અમીની (ર.અ.)એ તેમની કિતાબ શોહદા વલ ફઝીલતમાં લગભગ એકસો કરતા વધુ આર્ટીકલો અને ફુટનોટનો ઉલ્લેખ કર્યો છે અને તેવી જ રીતે આયતુલ્લાહ સૈયદ શાહબુદ્દીન હુસૈની મરઅશી નજફી એ એહકાકુલ હક્કના ત્રીજા ભાગની પ્રસ્તાવનાની ફુટનોટમાં હયાતે કાઝી શહીદના નીચે મુઝાતહ વ મવલુકાતહનાં શીર્ષક નીચે  140 કિતાબોનો ઉલ્લેખ કર્યો છે. અમે તેમાંથી અમુક કિતાબોના નામ અહી લખીએ છીએ.

ઉપરોક્ત ચાર કિતાબો સિવાય ઇખ્વાતો મસાએલ સૈયદ હસન ગઝનવી, અલ્ઝામ અલ્નાસીબ ફી રદ્દે અલા અલ મિરઝા મખદુમશશરીફી, અલકામ અલ હિજરની અલ રદ અલ ઇબ્ને અલ હજર, બેહરુલ ગદીર ફી અસબાત તવાતર હદીસ અલ ગદીર તફ્સીરે કુરઆન કિતાબ ફી તફ્સીરે આયાત રુવયા હાસીયા અલ તહઝીબુલ એહકામ લીલ શૈખે તુસી, હાશીયાતો અલા ક્ધઝુલ ઈરફાન લીલ્ફાઝીલ અલ મીક્દાદ ફી આયાતીલ અહકામ, હાશીયતો અલ મબહસ અઝાબ અલ કબ્ર મીન શરહે કવાએદ અલ અકાએદ, હાશીયતો અલ હિદાયતે ફીલ ફીકહ અલ હનફી હાશીયતો અલા શર્હે અલ વેકાયત ફિલ ફિકહે, અલ હનફી દલાએલ શીયઅત ફિલ ઇમામત (ફારસી) દીવાનુલ કસાએદ દીવાનુલ શઅર, રિસાલાતો તફસીર ફિલ આયાતે ઇન્નમલ મુશરીકૂન નજસુન રીસાલાતો ફી રદ્દે શીયઅતે ફી તહકીકીલ ઈલ્મે ઇલાહી અલ લમએતો ફી સલ્લાતીલ જુમાહ અલ સહાબો અલ મતીર ફી તફ્સીરે આયાતે તતહીર શર્હે દોઆએ સબાહ વલ મસાઅ લે અલી (અ.સ.) (ફારસી) અલ શર્હે અલા સહીફતે કામેલાહ (સંપૂર્ણ નથી) અલ તઅલ્લીકતે અલ રવ્ઝાતુલ કાફી. વધુ કિતાબોના નામ માટે એહકાકુલ હક્કની પ્રસ્તાવના વાંચે.

ઔલાદ:

આપના પાંચ દીકરા હતા અને પાંચેય દીકરા આલીમ, બુધ્ધિશાળી, શાએરે નબીલ અને હોશિયાર હતા.

1) અલ્લામાં સૈયદ મોહમ્મદ યુસુફ બિન નુરુલ્લાહ અલ્હુસૈની કે જેમણે પોતાના પિતા અને બીજા ઉસ્તાદો પાસેથી ઇલ્મ હાસિલ કર્યું.

2) સૈયદ અલ્લામા શરીફુદ્દીન બિન નુરુલ્લાહ આપ આપના ઝમાનાના પ્રખ્યાત આલિમોમાંથી હતા.

19 રબીઉલ અવ્વલ હિજરી સન 992 અને રવિવાર ના દિવસે આપની વિલાદત થઈ.

પોતાના વાલીદથી ઈલ્મે હદીસ અને તફ્સીર અને ઈલ્મે કલામ શીખ્યા. મૌલાના અબ્દુલ્લાહ શુસ્તરીથી ઈલ્મે હદીસ અને શૈખ બહાઈથી ફીકહ સૈયદ તકીયુંદ્દીન અલ નસાબાહ શીરાઝીથી ઉસુલ અને ફિકહ સૈયદ મિઝર્િ ઈબ્રાહિમે હમ્દાનીથી ઇલ્મે મઆકુલ અને ઈલ્મે ઈરફાન હાસિલ કર્યું. આપના લખાણો આ મુજબ છે. હાશીયાહ અલ શર્હે અલ મુખ્તસર લીલ અઝદી અને ફુટનોટ અલ તફસીર અલ બય્ઝાવી અને  હાશીયાહ અલ શર્હે અલ મતાલેઅ અન રીસાલાતો ફી ગુલ્સીયાત અલ ઓલુમ આપની વફાત જુમ્આના દિવસે 5 રબીઉલ આખર હિજરી સન 1020 આગ્રામાં થઇ અને ત્યાજ દફન થયા.

3) સૈયદ અલ્લામાં અલમલક બિન નુરુલ્લાહ પોતાના ઝમાનાના શ્રેષ્ઠ વ્યક્તિઓમાંથી હતા. ફીકહી, મોહદદીસ, ઇતિહાસકાર, ફિલોસોફર, વક્તા, શાએર હતા. પોતાના વાલીદથી અને બીજા આલિમોથી ઇલ્મ હાસિલ કર્યું. આપની પણ કિતાબો અને સંકલન છે. કિતાબ અન્વારુલ હોદા ફીલ ઈલાહીયાત અલ સેરાત અલ વસિત ફી અસ્બાતુલ વાજિબ મહફીલે ફિરદોસ (આ કિતાબમાં તેમને પોતાના ખાનદાનના હાલાત અને અમુક આલિમોની ઝીંદગી વિષે લખ્યું છે. આ લેખમાં પણ અમે અમુક માહિતી તેમાંથી અન્ય સ્ત્રોત દ્વારા લીધી છે) અલ મહઝુબ ફિલ મંતિક સાહિબે સુબહે ગુલશનના પેજ 290 કે જે ભોપાલથી પ્રકાશિત થયેલ છે કે આ મહાન સૈયદને સુલતાન શાહજહાએ પોતાના દીકરા મોહમ્મદ શુજાઅના માટે મોઅલ્લીમ નક્કી કયર્િ હતા.

1) મોગલ બાદશાહના ઈતિહાસ ઉપર ધ્યાન દેવાથી ખબર પડે છે કે આ સલ્તનતના ઉચ્ચ હોદાઓ ઉપર અસંખ્ય શીઆઓના નામ શામિલ છે. કાઝી નુરુલ્લાહની જેમ તેમના દીકરાઓનો પણ પ્રભાવ હતો. મશહુર છે કે શાહશુજાઅના દરબારમાં ઘણા બધા ઈરાની આલિમો અને શાએરો મૌજુદ હતા. અબુલ મઆલી અલાઅલમુલક અને અલાઉદ્દીન કે જે કાઝી નુરુલ્લાહનાં ફરઝંદ હતા તે પણ શામિલ હતા. અલાઉલમુલ્ક એ શાહશુજાઅના ઉસ્તાદ હતા તેમની માતા મુમતાઝ કે જેના નામે તાજમહલ છે તે શિઆ હતી. મોગલોના મહેલોમાં શિઆ અકીદાઓ ધરાવનારા ઘણા બધા હતા અને શાહી ઔરતો પણ શિઆ અકીદાને માનનારી હતી અને ઈરાની ઔરતો ચારે તરફ ફેલાયેલી હતી. રાણી નુરજહાં (મેરુન્નીસા) જહાંગીરની પત્ની પણ શિઆ હતી. મુમતાઝ મહલ નુરજહાંની ભત્રીજી હતી.

4) સૈયદ અબુ અલ મઆલી બિન નુરુલ્લાહ એક હુશિયાર અને પવિત્ર ચારિત્ર્યવાળા આલીમ હતા. 3 ઝીલ્કાદ હિજરી સન 1004 અને જુમેરાતનાં દિવસે આપની વિલાદત થઇ અને રબીઉલ આખર હિજરી સન 1046માં આપની વફાત થઇ. આપે આપના ભાઈ અને મૌલા હસન શુસ્તરી અને સૈયદ મોહમ્મદ કાશ્મીરી વિગેરેથી ઇલ્મ હાસિલ કર્યું. આપની કિતાબો અને સંકલનમાં મોઅઝલાતુલ ઓલુમ, રીસાલાતો ફી નફી રોયત તઆલા, રીસાલતો ફીલ જબ્ર વ તફ્વીઝ, તઅલીકત અલા તફ્સીરુલ બય્ઝાવી, કિતાબો ફી શર્હ અલ્ફય્ત અલ નહવ

5) સૈયદ અલાઉદ્દદોઅલા રુલ્હ બિન કાઝી નુરુલ્લાહ એક અકલમંદ અને હોશિયાર શાએર હતા. 4 રબીઉલ અવ્વલ હિજરી 1012 હિન્દુસ્તાનમાં પૈદા થયા અને તેમને તેમના ભાઇઓથી અને મૌલાના મોહમ્મદ હિન્દીથી તેમણે ઉચ્ચ પ્રકારનું ઇલ્મ હાસિલ કર્યું. આપની પણ કિતાબો અને સંકલનમાં કિતાબ અલ બવારીકુલ હાફઝીય્યાહ વ રવાએદુલ આસેફાહ ફી અલરદ્દે અલા સવાએકુલ મોહર્રેકા, હાશીયાહ અલા શરહે અલ લુમઅહ, હાશીયાહ અલા અલમદારેક, હાશીયાહ અલા તફ્સીરુલ કાઝી, દીવાન શેઅર વિગેરે.

(એહકાકુલ હક્ક મઅ તાઅલીકાત પ્રસ્તાવના પેજ.100 થી 111)

શહાદત સમયની રીત:

આપની શહદાતમાં કોઈ ઇખ્તેલાફ નથી પરંતુ શહાદતની રીત સબંધે થોડો ઇખ્તેલાફ છે આપણા તમામ મહાન ઓલમાઓ જેમકે શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.), મોહદ્દીસે નુરી (અ.ર.), અલ્લામાં સૈયદ એજાઝહુસૈન મુફ્તી મોહમ્મદ કલી (અ.ર.) (સૈયદ એજાઝ અને હામીદ હુસૈન સાહેબ અબકાતુલ અનવાર બંને સગા ભાઈઓ છે અમુક લોકોનું કેહવું છે કે સૈયદ એજાઝ ઇલ્મની દ્રષ્ટિએ સૈયદ હામીદ હુસૈનથી વધુ અગ્રણી હતા આપના પિતાએ તેમને લાઈબ્રેરીનાં સરપરસ્ત મુકરર કયર્િ હતા.), મૌલવી સૈયદ હામીદ હુસૈન ઇબ્ને મુફ્તી મોહમ્મદ કુલી, શૈખ હુર્રે આમેલી (અ.ર.), અલ્લામાં મુઝફ્ફર આકા બુઝુર્ગ તેહરાની, મોહમ્મદ તકી મજ્લીસી અલ્લામાં મજ્લીસીના પિતા, સૈયદ શાહબુદ્દીન મરઅશી આ સિવાયના બીજા અસંખ્ય ઓલમાએ હિન્દુસ્તાન અને ઈરાક અને ઈરાને આપની શહાદતનો ઝીક્ર કર્યો છે. ત્યાં સુધી કે સુન્ની ઓલમાએ પણ આપની મઝલુમીય્યતભરી શહાદતનુ વર્ણન કર્યું છે. અમે અહી સંશોધનની રોશનીમાં શહાદતની રીતને તે રજુ કરીએ છીએ.

શહાદતનો પ્રસંગ એ મુજબ છે કે એ સમયે જહાંગીર રાજગાદી પર આવ્યો, તે સમયે કાઝી નુરુલ્લાહ ઓહદએ કાઝી (ન્યાયધીશ) ઉપર ફાએઝ હતા. વિરોધી ઓલમાઓને અને પક્ષપાતી આલીમોને કાઝી સાહેબનું શિઆ હોવું ખબર હતી અને તે લોકો બાદશાહોને વારંવાર ચુગલી (ચાડી) કરતા હતા કે આ શિઆ છે અને તે કોઈ મઝહબ (હનફી, શાફેઈ, માલીકી, હમ્બલી)ને અનુસરતા નથી અને તે ઈમામીયા મઝહબના પ્રમાણે ફતવાઓ આપે છે. બાદશાહે કહ્યું તેમને પહેલા શરત મૂકી હતી કે તે આ ચાર મઝહબમાંથી કોઈનાં સંપૂર્ણપણે પાબંદ નહિ રહે. તેઓ તેના સંશોધનના પ્રમાણે ફતવો આપશે. હવે પક્ષપાતીઓ એ ફિક્રમાં હતા કે ગમે તેમ કરીને તેમનું શિઆ હોવું સાબિત થઇ થઇ જાય. આથી ઇબ્ને ઝ્યાદ જેવી યોજના શૈતાને વિરોધી આલીમોને બતાવી અને એક ખબીસને આપની પાસે મોકલવામાં આવે અને પોતાને શિઆ તરીકે ઓળખાવે અને તેમણે લખેલી કોઈ કિતાબ લાવે અને એવુ જ થયું તે શખ્સ કાઝી નુરુલ્લાહના વિદ્યાર્થીઓમાં શામિલ થઇ ગયો અને પોતાની જાતને શિઆ તરીકે ઓળખાવા લાગ્યો અને એક લાંબા સમય સુધી તેમની પાસે રહ્યો ત્યાં સુધી કે કાઝી નુરુલ્લાહને તેમની પર ભરોસો આવી ગયો. એક દિવસ તેમને બહુ જ ખુશામત કરીને આપની લખેલી કિતાબ મજાલીસુલ મોઅમેનીન મેળવી લીધી અને પછી તેણે આ કિતાબ વિરોધી આલિમો અને મુફ્તિઓને પહોચાડી દીધી. આ લોકોએ આ કિતાબ બાદશાહ સુધી પહોચાડી અને કહ્યું કે આ કિતાબ આ રાફ્ઝીએ લખી છે અને તેમને સજા મળવી જોઈએ. બાદશાહે પૂછ્યું કે સજા શું હોવી જોઈએ? આ લોકોએ કહ્યું કે તેમને તાઝીયાનાથી (ચાબુકથી) મારવા જોઈએ. બાદશાહે આ કામને તેજ લોકોના હવાલે કરી દીધું. આ લોકોએ બહુજ જલ્દીથી આ હુકમ ઉપર અમલ કર્યો. એક કાંટાળો ચાબુક બનાવવામાં આવ્યો અને તેનાથી એટલું બધું મારવામાં આવ્યું કે આપના બદનનું બધુ જ ગોશ્ત ટુકડા ટુકડા થઇ ગયું અને આપ એ જ હાલતમાં શહીદ થઇ ગયા અને આપના જદ સૈયદુશશોહદા અબી અબ્દીલ્લાહ (અ.સ.)થી જઈને મળી ગયા. અમુક રિવાયાતોના પ્રમાણે આપના કપડાને શરીર પરથી ઉતારી લીધા હતા અને તાંબા અથવા લોઢાને પિગળાવીને આપના સર-મુબારક પર નાખવામાં આવ્યું ત્યાં સુધી કે આપના માથાના હાડકામાંથી હાડકાનો રસ થઈને બહાર આવ્યો અને આપની શહાદત થઇ ગઈ.

(એહકાકુલ હક્ક પ્રસ્તાવનામાંથી મઅ તઅલીકાત 158, 159)

શહાદતની તારીખ:

નીચે મુજબ નો શેર પરથી આપની તારીખે શહાદત ખબર પડે છે.

અફજદના કાયદા મુજબ અફ્ઝાલુલ એબાદ બરાબર 1019 થાય છે

અને તેજ રીતે કેહવાય છે કે સૈયદ નુરુલ્લાહ શહીદ = 1019

26 રબીઉલ આખર હિજરી 1019ની અર્ધી રાત્રે આપની શહાદત 64 વર્ષની ઉમરે થઈ.

ગો ટૂ ટોચ